કોલકાતા: ગોવામાં જ્યાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપની પડખે જતા રહ્યાં છે ત્યાં કર્ણાટકમાં પણ કોંગ્રેસ અને જેડીએસના અનેક ધારાસભ્યો રાજીનામા આપીને એચડી કુમારસ્વામીની સરકારને મુશ્કેલીમાં નાખી રહ્યાં છે. આ બધા વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા મુકુલ રોયે શનિવારે આપેલા એક નિવેદનથી પશ્ચિમ બંગાળમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતા મુકુલ રોયે દાવો  કરતા કહ્યું કે કોંગ્રેસ, સીપીઆઈ-એમ અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના કુલ 107 ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે. જો મુકુલ રોયનું આ નિવેદન સાચું ઠરશે તો મમતા બેનરજીની સરકાર પર સંકટના વાદળો છવાઈ શકે છે. એટલે કે પશ્ચિમ બંગાળમાં પણ ગોવા અને કર્ણાટક જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ વિગતો માટે જુઓ વીડિયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...